Ardh Asatya book and story is written by Praveen Pithadiya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ardh Asatya is also popular in જાસૂસી વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અર્ધ અસત્ય. - નવલકથા
Praveen Pithadiya
દ્વારા
ગુજરાતી જાસૂસી વાર્તા
અભયના જિવનમા ઝંઝાવાત ફૂંકાયો હતો. ત્રણ વર્ષની પોલીસ ઓફિસરની તેની જ્વલંત કારકિર્દી અચાનક અસ્તાચળ તરફ સરકવા લાગી હતી. તેની સામે ખાતાકીય તપાસપંચ નિમાયુ હતુ. એ તપાસપંચનો રિપોર્ટ આવે ત્યાં સુધી તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. તેના જ ખાતાના અધિકારીઓ તેને ફસાવી રહ્યા હતા. તે જાણતો હતો કે હકીકત શું છે, શું કામ તેને બલીનો બકરો બનાવામા આવી રહ્યો છે. પરંતુ સત્ય જાણવા છતા તે કંઇ કરી શકે તેમ નહોતો. અસત્યનો એટલો બધો શોર-બકોર ચારેકોર પ્રસરેલો હતો કે તેમા તેનુ સત્ય દબાઇ ગયુ હતુ. સખત ગ્લાનિ અને અપરાધભાવથી અભય પોતે જ મુંઝાઇ ગયો હતો. આવા સમયે શું કરવુ જોઇએ એ સુધબુધ તે વિસરી ચૂક્યો હતો.
અભયના જિવનમા ઝંઝાવાત ફૂંકાયો હતો. ત્રણ વર્ષની પોલીસ ઓફિસરની તેની જ્વલંત કારકિર્દી અચાનક અસ્તાચળ તરફ સરકવા લાગી હતી. તેની સામે ખાતાકીય તપાસપંચ નિમાયુ હતુ. એ તપાસપંચનો રિપોર્ટ આવે ત્યાં સુધી તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. તેના જ ખાતાના ...વધુ વાંચોતેને ફસાવી રહ્યા હતા. તે જાણતો હતો કે હકીકત શું છે, શું કામ તેને બલીનો બકરો બનાવામા આવી રહ્યો છે. પરંતુ સત્ય જાણવા છતા તે કંઇ કરી શકે તેમ નહોતો. અસત્યનો એટલો બધો શોર-બકોર ચારેકોર પ્રસરેલો હતો કે તેમા તેનુ સત્ય દબાઇ ગયુ હતુ. સખત ગ્લાનિ અને અપરાધભાવથી અભય પોતે જ મુંઝાઇ ગયો હતો. આવા સમયે શું કરવુ જોઇએ એ સુધબુધ તે વિસરી ચૂક્યો હતો.
સુરત-વડોદરા નેશનલ હાઈવે ઉપર ભરૂચ પહોંચો એ પહેલા અંકલેશ્વર વટતા પૂર્વ દિશામાં એક પાકો રસ્તો ફંટાય છે. એ રસ્તે લગભગ વીસેક કિલોમિટર અંદર રાજગઢ સ્ટેટનું પાટિયું આવે, અને ત્યાંથી ડાબા હાથ બાજુ વળો એટલે રાજગઢની હદ શરૂ થાય. રાજગઢ ...વધુ વાંચોતો ભારતની આઝાદી પહેલાનું રજવાડું. આઝાદી પછી અખંડ ભારતમાં વિલીનીકરણ પામેલું રાજગઢ આજે ય તેની આન, બાન અને શાન સાથે ધબકી રહ્યું હતુ. તેનું કારણ રાજગઢના રાજવીઓ હતા. વિલીનીકરણ બાદ ભારતના મોટાભાગના રાજવીઓએ જ્યારે વિદેશગમન કરવાનું અને ત્યાંજ સેટલ થવાનુ પસંદ કર્યુ હતુ ત્યારે રાજગઢ જેવા અમુક રાજ-પરીવારોએ ભારતમાં જ રહેવાનુ સ્વીકાર્યુ હતુ.
રમણ જોષીને ક્યાંય ચેન પડતું નહોતુ. જ્યારથી તેણે પેલા એક્સિડન્ટનુ રિપોર્ટીંગ કર્યુ હતુ ત્યારથી તેના મનમાં એક અજાણ્યો અજંપો ઉદભવ્યો હતો. તેમાં પણ જે રીતે સબ-ઇન્સ્પેકટર અભય ભારદ્વાજનું નામ એ કિસ્સામાં ઉમેરાયુ હતુ અને તેને દોષી માનીને સસ્પેન્ડ કરવામાં ...વધુ વાંચોહતો એ પછી તો તે વિચારોના ચગડોળે ચડી ગયો હતો. રમણ જોષી પોતે એક સિનિયર પત્રકાર હતો. અત્યાર સુધીમાં આવા ઘણા કિસ્સા તેની કારકિર્દીમાં સામે આવ્યાં હતા એટલે એક અનુભવી પત્રકાર તરીકે તેને તરત સમજાયું હતુ કે અભયને આમાં ખોટો ફસાવાયો છે.
અનંતસિંહ અધીરાઈભેર રાજપીપળા આવ્યા હતા. તેમને ખાતરી હતી કે પોલીસ સ્ટેશનમાં તેમના દાદા પૃથ્વીસિંહ વિશે જરૂર કંઇક જાણવા મળશે. કોઈક એવો “ક્લ્યૂ” ચોક્કસ મળશે જે તેમને દાદાજી સુધી પહોંચાડી શકશે અથવા તો તેમના ગુમ થવાનું સાચુ કારણ જણાવી શકશે. ...વધુ વાંચોઅહીં ઈન્સ્પેકટર પ્રતાપ બારૈયાને મળ્યા ત્યારે કંઈક અલગ જ જાણવા મળ્યું હતું. બારૈયાના કથન પ્રમાણે પૃથ્વીસિંહજીના ગાયબ થયા પછી તેમને શોધવાની ભરપુર કોશિશ કરવામાં આવી જ હતી. રાજગઢ જેવા રાજ-પરિવારની મોભી વ્યક્તિ આવી રીતે અચાનક ક્યાંક ગુમ થઈ જાય ત્યારે ખળભળાટ મચે એ તો સ્વાભાવિક જ હતું.
અપાર વિસ્મયથી અનંતસિંહ તેની સામે બેહોશ પડેલા અભયને જોઈ રહ્યાં. તેમને હજુંપણ વિશ્વાસ નહોતો થતો કે એ અભય જ છે! ઘણા લાંબા સમયના અંતરાલ બાદ એકાએક કોઈ તમને અચાનક મળી જાય તો આશ્વર્ય ઉદભવવું સ્વાભાવિક હતું, જ્યારે આ તો ...વધુ વાંચોનાનપણનો જીગરી યાર હતો. વળી સંગોજો પણ કેવા વિચિત્ર સર્જાયા હતાં! એક ભયાનક અકસ્માતમાં તે બન્નેની મુલાકાત થઇ રહી હતી એનો ધ્રાસ્કો પણ અનંતસિંહને હતો.